सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

4 mins read

યુવા સંકલ્પનું અનુપમ ઉદાહરણ-આનંદપુર ભાલી

ડૉ. જનક દવે | હરિયાણા

parivartan-img

"કોણ કહે છે કે આકાશમાં છિદ્ર ન હોઈ શકે, જ્યારે તમે બીમાર હોવ ત્યારે પથ્થર ફેંકો" પ્રસિદ્ધ કવિ દુશ્યંત કુમારની આ પંક્તિઓ આનંદપુર ભાલીમાં ચરિતાર્થ થતું જોવા મળે છે. હરિયાણાના રોહતક જીલ્લાનું આ ગામ ક્યારેક રાજકીય વિદ્વેષનો અડ્ડો બની ગયેલ હતું. પરિસ્થિતિ પણ કાંઇક એવી હતી ગામના મોટાભાગના યુવાન પોલીસ ચોકીથી ઠીકઠાક પરિચિત હતા. બસ કંડકટર તેમને બસમાં બેસાડતા ન હતા અથવા બેસાડવામાં આવે પણ તો ભાડું માંગતા ડરતા હતા. પરંતુ આજે આમાંથી જ કેટલાક યુવાનોના પ્રયાસના કારણે ગામનું ચિત્ર જ બદલાઇ ગયું. ગામની વચ્ચોવચ બનેલું ત્રણ માળનું કેશવભવન અને તેમાં ચાલતી તક્ષશિલા વિદ્યામંદિર, આર્યભટ્ટ અધ્યયન કેન્દ્ર, લેફ્ટેનન્ટ અતુલ પવાર કમ્પ્યુટર કેન્દ્ર હોય કે વળી શહીદ પાયલોટ સંદીપ પલડવાલ પુસ્તકાલય આ બધું ગામમાં આવેલ પરિવર્તનની કથા પ્રસ્તુત કરે છે. 


ભાલી આનંદપુરના આ નવા સ્વરૂપનો શ્રેય હરિયાણા પ્રાંતના સહ ગ્રામવિકાસ પ્રમુખ શ્રી અનૂપસિંહ અને તેમના સહકાર્યકર્તાઓના ફાળે જાય છે. આ યુવાઓને જ્યારે સંઘની પ્રેરણા અને સેવાભારતીનો સાથ મળ્યો ત્યારે પરિવર્તનનું ઝરણું વહેવા માંડ્યું. ગામના ચોરામાં વડીલોની વચ્ચે છાપું નાખી શરુ  થયેલી સેવાયાત્રામાં નવા આયામ જોડાતા ગયા અને ‘શહીદ ચન્દ્રશેખર આઝાદ સેવા સમિતિ’નો જન્મ થયો. રાષ્ટ્રીય સેવા ભારતીથી સંલગ્ન સંસ્થાની સફળતાનો અંદાજ આ વાતથી લગાવી શકીએ છીએ  કે, તક્ષશિલા અધ્યયન કેન્દ્રમાં ભણીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરેલ ગામના 48 યુવકો આજે સરકારી નોકરીઓ કરી રહ્યા છે. 


હરિયાણાની દીકરીઓએ પહેલવાનીથી માંડી એથલેટિક્સમાં પોતાના ઝંડા દેશભરમાં ફરકાવ્યો છે.  આથી ભાલી આનંદ્પુરની દીકરીઓ દુર્ગા ક્રીડા કેન્દ્રમાં પ્રશિક્ષકની દેખરેખમાં ફુટબોલ અને અન્ય રમતો નિયિમિત રમે છે. આનું જ પરિણામ છે, કે નિશુ, મંજુ અને કાજલ સહિત 5 દીકરીઓ નેશનલ ટીમમાં રમી રહી છે. પ્રાંત સેવાપ્રમુખ કૃષ્ણકુમાર બતાવે છે "ગામની જરૂરિયાતો પ્રમાણે સેવાના નવા આયામ જોડાતા ગયા, ત્રીજા ધોરણથી બાર સુધી બાળકો માટે 6 વર્ષ પહેલા વિવેકાનંદ સંસ્કાર કેન્દ્ર ચલાવવામાં આવ્યું તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના અધ્યયન માટે એક વાતાનુકૂલિત હૉલ બનવવામાં આવ્યું જ્યાં આજુબાજુના ગામ ગદ્દી, ખેડી, બનિયાની અને ડોભથી આવેલા યુવાનો ભણી રહ્યા છે. શહીદ પાયલોટ સંદીપ પલડવાલ પુસ્તકાલયમાં 5000 પુસ્તકોનો ખજાનો ગામના વિદ્યાર્થીઓ માટે બુક બેંકનું કામ કરે છે.

પુસ્તકાલયમાં મુખ્ય  બધા છાપા તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેની પત્રિકાઓ આવે છે. આ દિવસોમાં બરેલીમાં સ્ટેશન માસ્ટર મોનૂ રોજ હોય કે  સી.આઇ.એસ.એફ માં સબ ઇન્સપેક્ટર સુમિત રોજ આ પુસ્તકાલય અને તક્ષશિલા અધ્યયન કેન્દ્રે આ સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. 


યુવકો, પ્રૌઢો અને મહિલાઓ વચ્ચે વર્ષોથી ચાલતી અને સમિતિની શાખાએ ગામમાં સમરસતા અને વિકાસની નવી કથા લખી છે. 23 જાન્યુઆરી 2013 માં જ્યારે શહીદ સબ લેફ્ટેનંટ અતુલ પવાર કમ્પ્યુટર કેન્દ્ર શરુ કરવામાં આવ્યું ત્યારે સેવાભારતી અને કેટલાક દાતા દ્વારા કોમ્પ્યુટર આપવામાં આવ્યા. કેશવભવન માટે જમીન પણ પંચાયતે સમિતિને આપી. સજીવખેતીને પ્રોત્સાહન આપવા બલરામ કિસાન સેવા કેન્દ્ર શરુ કરવામાં આવ્યું, જેના માધ્યમથી ગામના દરેક ઘરે જૈવિક ખાતર બનાવવાનું શિખવવામાં આવ્યું છે. 

મહિલાઓ માટે ચાલતું રાણી લક્ષ્મીબાઇ સીવણ કેન્દ્રની વિશેષતા છે કે, તેમની બેચ પૂરી થયા  બાદ  ગામમાં બીજી જગ્યાએ શિખવાડવા જાય છે, જેથી ત્યાંની મહિલાઓ પણ સરળતાથી શીખી શકે છે. 


સેવિતોમાં સેવાભાવ જગવવો એ સંઘનો મૂળમંત્ર છે, જે ભાલી આનંદપુરમાં જોવામાં આવે છે. રેલ્વેમાં નોકરી કરતા સમુન્દર ગિલૌડ હોય કે દીકરીઓના કોચ નરેન્દ્ર પલડવાલ બધાં યુવાનો ગામમાં ચાલી રહેલા સેવાકાર્યોમાં પોતાનો સમય આપે છે.

આ કાર્યના સૂત્રધાર શ્રી અનૂપજી કહે છે જળસંરક્ષણથી માંડી વૃક્ષારોપણ સુધી બધી ગતિવિધીમાં ગામજનોનો સંપૂર્ણ સહયોગ મળે છે. આ બતાવે છે કે છેલ્લા 5 વર્ષોમાં થઇ રહેલા ગ્રામોત્સવના કારણે ક્યારેક જુદા જુદા વાડાઓમાં વહેંચાયેલું ગામ આજે અકબંધ છે. 

 સંપર્ક- અનૂપસિંહજી 

       9034729351

1199 Views
अगली कहानी