सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

દેશની અનોખી-હિંમત વિદ્યાલય

નીરજ પટેલ | મહારાષ્ટ્ર

parivartan-img

આઠમુંધોરણએટલેકે13- 14 વર્ષની ઉંમર આ એવો સમય હોય છે કે જ્યારે કિશોર જીવનની બારાક્ષરી શીખવાની શરૂઆત જ કરે છે. આવી અપરિપક્વ ઉંમરમાં ચાર બાળકોએ પોતાના સહપાઠી મોનૂઉપરસ્કુલનીનજીકનાખેતરમાંબીયરનીતૂટેલી બોટલથી ઘણા ઘા કર્યા. મોનૂસૌભાગ્યશાળીરહ્યો કે જેના પેટમાં કાચના ટુકડા ઘૂસી જવા છતાં જીવિત રહ્યો પરંતુ આ ચાર  કિશોરો માટે 10 સપ્ટેમ્બર 2012 ના રોજ જીવનના બધા દરવાજા બંધ થઇ ગયાં. પૂણેના મુળશી તાલુકામા પિરંગુટ ગામની સરકારી શાળાની આ ઘટના બાદ ચારેય ને શાળામાંથી કાઢી મુકાયા. બે વર્ષ કિશોર સુધાર ગૃહમાં રહ્યા બાદ જ્યારે તેઓ પિરંગુટ પાછા ફર્યા ત્યારે તેમના માથા પર અપરાધી હોવાનું કલંક લાગી ચૂક્યું હતું. ગામના લોકો તરફથી મળી રહેલા ધૃણા અને ઉપેક્ષા કદાચ તેઓને ફરી એ જ અપરાધના કીચડમાં ધકેલી દેત જો તેમનો હાથ હિંમત શાળાએ પકડી સાચો રસ્તો ન બતાવ્યો હોત.


આઅનોખી“હિંમતવિદ્યાલય”પૂણેનીમુળસીતાલુકામાંઅંબડવેટનામનાગામમાંરાષ્ટ્રીયસર્વાંગીણગ્રામવિકાસસંસ્થાન, પુણે દ્વારા સંચાલિત વિદ્યાલય આવા ભણતર છોડવાનાર બાળકોને ભણાવી દસમાની બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરાવે છે, કે જે ગુનો, નશો અને અન્ય વિડંબણાનો શિકાર થઈ ભણતર અધવચ્ચેથી છોડી દે છે. કેટલાક બાળકો તો 10 થી 12 વર્ષના લાંબાગાળા બાદ ફરીથી અહીં દસમા ધોરણનો અભ્યાસ કરે છે. 

સંઘના પશ્ચિમ મહારાષ્ટ્ર પ્રાંતના પ્રાંત સેવાપ્રમુખ શ્રી અનિલજી વ્યાસ તથા સ્વયંસેવક નિતીન ધોડકેના પ્રયત્નોથી 15 જુલાઈ 2012ના દિવસે આઠ બાળકો થી શરૂ થયેલી આ અનોખી વિદ્યાલય જેને નામ આપવામાં આવ્યું "હિંમત શાળા".  આ વિદ્યાલયમાં એક જ ધોરણનો અભ્યાસ કરાવવામાં આવતો હતો એ છે દસમા ધોરણનો. જ્યાં દેશભરનાં જુદા જુદા બોર્ડના આવેલા બાળકો અભ્યાસ કરે છે. અહી એમને ભણતરની સાથે સાથે મોબાઇલ રીપેરીંગ, ડેરી પાલન, ખેતી,  વીજળી દ્વારા ચાલતાં મશીનોની રીપેરીંગ જેવા રોજગાર લક્ષી  પ્રશિક્ષણ પણ આપવામાં આવે છે.


અહીંથીઅભ્યાસકર્યાબાદ,  એ દિવસોમાં હિજેવાડી IT પાર્કમાં કેટરિંગ કંપનીઓને રોટલીની માંગ પૂર્ણ કરવાનો કોન્ટ્રાક્ટ લેવાવાળા મનીષ આઠવલે (બદલાયેલું નામ) એ જ બાળક છે જેણે બિયરની બોટલથી મોનૂ ઉપર સૌથી વધારે ઘા કર્યા હતા. પૂણેના પ્રતિષ્ઠિત પરિવારનો એકનો એકદી કરોસુશીલથીહમણાંસહ્યાદ્રીશાળાનાપ્રિન્સીપાલને હવેકોઈ ફરિયાદ નથી. વર્ષોપહેલાસુશીલેગુસ્સામાંઆવીશાળાનીપિકનિકદરમિયાનસિગરેટનાલાઇટરથીઆખીબસ સળગાવી દીધી હતી. આજે એ જ યુવક નાસિકની પ્રતિષ્ઠિત કોલેજમાં પોતાની એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરી રહેલ છે.

શાળાના આરંભથી અહીં મરાઠી વિષય ભણાવતા પ્રદીપજી પાટીલનુંકહેવું છેકે,આબાળકોમાંઆવેલપરિવર્તનોશ્રેયવિદ્યાલયનીયોગ,અનુશાસનઅનેસંસ્કારોથીપરિપૂર્ણદિનચર્યાતેમજરાષ્ટ્રભાવથીપરિપૂર્ણશિક્ષણપ્રણાલીનેજાયછે.  તેઓ જણાવે છે કે અહીં બાળકોને નિયમિત વ્યાયામ અને યોગની સાથે ખેતરોમાં કામ પણ કરાવવામાં આવે છે. તેઓ કહે છે કે અમે પુસ્તકના અભ્યાસ કરતાં વધારે જોર વ્યાવસાયિક પ્રશિક્ષણ પર આપે છે. 


એ સાચું છે કે ઔદ્યોગિક વિકાસ જીવનમાં સમૃદ્ધિનું દ્વાર ખોલી નાખે છે પરંતુ વિડંબના એ છે કે ક્યારેક-ક્યારેક છૂપી રીતે વિનાશ પણ એ જ રસ્તે પ્રવેશ કરી જાય છે. પૂણેથી 40 કિલોમીટર દૂર મુળશી તાલુકામાં જ્યારે બહુ બધી ફેક્ટરીઓ ખુલી ગઈ ત્યારે ત્યાંની જમીનના ભાવ આસમાને પહોંચી ગયા. પોતાની જમીન વેચીને નવા નવા લાખોપતિ બનેલા લોકો, ન તો પોતાને સંભાળી શક્યા ન તો પોતાના બાળકોને. આ કિશોરો કેટલાય નશાના શિકાર થઈ અપરાધના રસ્તા પર ચાલવા લાગ્યા. 2011-12 મા પરિસ્થિતિ એટલી બધી બગડી ગઈ કે મુળશી તાલુકાના કિશોરો અપરાધોમાં મહારાષ્ટ્રમાં પ્રથમ સ્થાને પહોંચી ગયા. બીજી બાજુ રાજ્ય સરકારના નિયમો અનુસાર આઠમા સુધી નાપાસનહીં કરવાની નીતિને કારણે નવમા ધોરણના બાળકો જે શાળા પર બોજ બની ચૂકેલા હતા જેઓ અભ્યાસમાં ખૂબ જ નબળા બાળકોને શાળા દ્વારા નાપાસ કરવામાં આવ્યા. આવા જ કેટલાક બાળકોનો હાથ હિંમત શાળાએ ઝાલ્યો.

શાળાના સંચાલક યોગેશ કોલવણકરજી જણાવે છે કે કેટલાક બાળકો અહીં એવા આવે છે કે જેને નવમા ધોરણમાં પણ સરખી રીતે વાંચતા પણ નથી આવડતું. કેટલાક તો 10 વર્ષ અભ્યાસ છોડયા બાદ અહીં આવે છે. આવા બાળકોને દસમું પાસ કરવામાં બે થી ત્રણ વર્ષ પણ લાગી જાય છે. તેઓ સંતોષ કાકડેનુ ઉદાહરણ આપે છે કે જેમણે 21 વર્ષની ઉંમરમાં શાળામાં એડમિશન લઈ ડ્રગની લતનો શિકાર થયા બાદ પણ આ યુવાને બે વર્ષની મહેનત બાદ ચાર વિષયમાં ઉત્તીર્ણ થયા.  સંતોષ હવે આ બીમારીથી નીકળી પોતાના ઘરની ખેતી સંભાળી એક સામાન્ય જીવન જીવી રહ્યો છે. ગયા આઠ વર્ષોમાં 160 થી વધારે બાળકો ના ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાખવા વાળી હિંમત વિદ્યાલય પોતાનામાં જ દેશની અનોખી વિદ્યાલય છે


1258 Views
अगली कहानी